સંપૂર્ણ જગત માં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા
જૂની રંગભૂમિ નું એક યાદગાર નાટક “વડીલો ના વાંકે” નું ગીત
Read Full Post | Make a Comment ( 2 so far )નથી માટી પ્રસાદી એ જીવન ધનથી વધારે છે–પૃથ્વીરાજ ચૌહાણ
શાહબુદીન ઘોરી ના હાથે શિકસ્ત પામીને અંધ બનીને પૃથ્વીરાજ ઊભો છે ત્યારેસુલતાન ઘોરી ,સમ્રાટ પૃથ્વીરાજની અંતિમ ઈચ્છાપૂછે છે ત્યારેપૃથ્વીરાજ ભારતદેશની માટી માંગેછે, જે કવિ ચંદ લઈ ને આવે છે તે પ્રસંગ નું ગીત
નથી માટી પ્રસાદી એ જીવન ધનથી વધારે છે
ગુમાવી પુણ્યભુમી એ હૃદય આજે વિદારે છે.
વછુટ્યા તાર વીણાના રહી છે ભારતી રોતી
અમે મોહાંધના પાપે, પડી પરવશ પોકારે છે.
ફરીથી ત્યાં જીવન માંગુ,ફરીથીત્યાં મરણ માંગુ
યુગોયુગ ધર્મ માટે જ્યાં પ્રભુ અવતાર ધારે છે.
Read Full Post | Make a Comment ( None so far )એક સરખા સુખ ના દિવસો કોઈના જાતાં નથી
પિતા ની પારેવડી ને માતા ની લાડકી
http://www.youtube.com/watch?v=uDETPrUZ-UU
Read Full Post | Make a Comment ( None so far )પિયરીયું સાંભરે —- શંભુ મેળો
http://www.youtube.com/watch?v=m8BOodhhsp0
Read Full Post | Make a Comment ( 2 so far )પિયરીયું સાંભરે– શંભુ મેળો
મારા સ્વ.પિતાશ્રી બાબુભાઈ ને ખુબજ ગમતું અને ઈ વખત નું અતિ લોકપ્રિય ગીત જેના શબ્દો આજે પણ મારા કાન માં ગુંજે છે “ગાડું વળાવ્યું ત્યારે રોતીતી માવડી, બાપુ ઉભાતા અચેત. પૂર્ણ પરસોતમ પિતા બિચારા શું કરી શકે? ઈ કાઈ થોડા જાહેર માં રોય પણ શકે?
પિયરીયું સાંભરે, બાઇ, મને પિયરીયું સાંભરે
સાંભરે માડી ના હેત –૦
ગાડું વળાવ્યું ત્યારે રોતી’તી માવડી
બાપુ ઉભા’તા અચેત —૦
એકજ ઓસરીએ હતા ચાર ચાર ઓરડા
આંગણીયે લીમડા ની છાયા
ગાતી’તી હું ત્યારે ઘેરી ને બેસતી
ગાયું વાછરડા સમેત —૦
ખેતર લીલુડા ને લહેરાતી વાડીયું
ખેલતા ધરતીને ખોળે.
દીઠી જો હોત ફરી મહિયર ની માયા
મોઢે માંગ્યાં મૂલ દેત —0
નાટક:-શંભુ મેળો (૧૯૪૭)
કવિ:-સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદી
ભજવનાર :- શ્રી દેશી નાટક સમાજ
સ્થળ:- ભાંગવાડી,કાલબાદેવી રોડ, મુંબઈ
Read Full Post | Make a Comment ( None so far )
લેશો નિશાશા પરણેતર ના- ‘વડીલો ના વાંકે’
જૂની રંગભૂમિ નું યાદગાર નાટક ‘વડીલો ના વાંકે’ નું પ્રહસન વિભાગનું તે વખત નું અતિ લોકપ્રિય ગીત ‘લેશો નિશાશા પરણેતર ના’ આજે આપ સહુ સાથે શેર કરું છું.
Read Full Post | Make a Comment ( 1 so far )
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એકજ
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એકજ
માનવ માત્ર અધૂરા
સદગુણ જુએ છે શાણાને
અવગુણ અપાત્ર અધૂરા.
કોઈને રચનારે રૂપ દીધા,
કોઈને દીધા છે જ્ઞાન
કોઈ ધન ઘેલા કોઈ રસઘેલા
કોઈને દીધા અભિમાન.
સઘળું નવ સાથ દીધું કોઈને,
એ ભૂલે પાત્ર અધૂરા.
સ્વ.પ્રભુલાલ દ્વિવેદી
(વડીલો ના વાંકે–ઈ.સ.૧૯૩૮)
Read Full Post | Make a Comment ( 1 so far )સંભારણા (સાગરપતિ )
જયશીયારામ,
આજે આપને માટે ૧૯૩૬માં શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા ભજવાયેલું નાટક ‘સાગરપતિ’નું એક ગીત રજુ કરુંછું જે ગીત નાટ્ય મહર્ષિ સ્વ.શ્રીપ્રભુલાલ દ્વિવેદીએ લખેલું છે,જે આજેપણ આજના ભારત ના માહોલમાં બંધબેસતું લાગે છે.
આ ભૂમિને આંગણે ભારત મંડાયા જ્યારથી
ઝગડા પરસ્પરના અહી કર્મે લખાયા ત્યારથી
શરૂઆત કીધી કૌરવે પુર્ણાહુતી પૃથુએ કરી
મુક્તિદાતા ભારતી ખોળી રહી છે ત્યારથી
કૃત્ય છે, બળ છે, અહીં સદ્જ્ઞાન છે, અભિમાન છે
પણ નથી જ્યાં એકતા ત્યાં શું કરે કોઈ સારથી
Read Full Post | Make a Comment ( None so far )« Previous Entries
You must be logged in to post a comment.